ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
Subscribe to:
Post Comments (Atom)
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે ન હવે ગાવું, મેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હે...
-
taarii aa.nkh no afiNii, taaraa bol no ba.ndhaaNii taaraa ruup nii punam no paagal ekalo aaj piivu.n darshan nu.n amrut kaal kasumbal kaavo ...
-
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી માના ખોળા સમું આંગણું તે મૂક્યું બાપના મન સમું બારણું તે મૂક્યું ...
-
Bena re Saasariye jata jo jo paapaN na bhinjaay Dikari to paarki thaapaN kehvaay (2) Benaa re Saasariye jata jo jo paapaN na bhinjaay Dikar...
No comments:
Post a Comment